[go: nahoru, domu]

લખાણ પર જાઓ

સુરેન્દ્રનગર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
→‎ભૂગોળ: કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું 2405:204:808D:D2E2:789D:43B5:FF2D:E7A2 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikM...
લીટી ૫૬: લીટી ૫૬:


== ભૂગોળ ==
== ભૂગોળ ==
સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૦૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૨.૧૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે રાજકોટ, ઉત્તરે મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે ભાવનગર botad morbi જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસ્તી ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૭,૫૫,૮૭૩ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.
સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૦૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૨.૧૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે રાજકોટ, ઉત્તરે મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે ભાવનગર જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસ્તી ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૭,૫૫,૮૭૩ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.


=== જળસ્ત્રોત ===
=== જળસ્ત્રોત ===

૧૪:૪૫, ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

સુરેન્દ્રનગર જિલ્લો

ઝાલાવાડ
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°44′N 71°31′E / 22.73°N 71.51°E / 22.73; 71.51
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકસુરેન્દ્રનગર
વિસ્તાર
 • કુલ૧૦,૪૮૯ km2 (૪૦૫૦ sq mi)
ઊંચાઇ
૫૪૭ m (૧૭૯૫ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૭,૫૫,૮૭૩
 • ગીચતા૧૪૪.૪૫/km2 (૩૭૪.૧/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૬૩૦૩૧
ટેલિફોન કોડ૦૨૭૫૨
વાહન નોંધણીGJ-13
જાતિ દર૦.૯૨૪ /
સાક્ષરતા૬૧.૬૧%

સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાની પડોશમાં કચ્છ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જિલ્લાઓ આવેલા છે. જિલ્લો ખેતી અને ઔધોગિક દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે, અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, આ ઉપરાંત અનેક નામી કલાકારો અને સાહિત્યકારો આ જિલ્લાની ધરતી પર જન્મ્યા છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે.

ભૂગોળ

સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૦૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૨.૧૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે રાજકોટ, ઉત્તરે મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે ભાવનગર જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસ્તી ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૭,૫૫,૮૭૩ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.

જળસ્ત્રોત

  • નદીઓ - મુખ્યત્વે ભોગાવો, ફલકુ અને ઉમઈ નદીઓ.
  • નહેરો - નર્મદા કેનાલ.
  • જળાશયો - ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ.
  • તળાવો - જોગાસર, રામસાગર, ધરમ, છાલિયા તળાવ.

ઉદ્યોગો

મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.

કૃષિ, પશુપાલન અને ડેરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૯૫,૦૭૬ હેકટર પૈકીના કુલ ૧,૫૭,૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમીન છે. આ જિલ્લાની મહદ્અંશે જમીન સમતલ અને ગોરાડું છે. આ જિલ્લાનો મુખ્ય પાક કપાસ છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ, મરચા વગેરે પાકો થાય છે.

ઇ.સ. ૧૯૯૭ની ગણતરી મુજબ કુલ ૨,૭૧,૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલાદનાં છે. તેમજ ભેંસો - ૧,૬૫,૧૯૭, ઘેંટાં ૯૯,૫૭૨, બકરાં ૧૬,૪૪૫૮, ગધેડા ૨,૦૯૫, ઊંટ ૪૪૬ એ રીતનું પશુધન છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ડેરી નીચે કુલ ૧૭૮ દૂધ મંડળીઓ ઊભી કરી સમગ્ર જિલ્લામાંથી દૂધ સુરેન્દ્રનગર શહેર ખાતે મુખ્ય ડેરી ખાતે લાવવામાં આવે છે.

મુખ્ય ખનીજ

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ આવેલા છે.

શિક્ષણ

  • પ્રાથમિક શાળાઓ - ૪૮૯૧
  • માધ્યમિક શાળાઓ - ૧૫૨૨
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૪૯
  • કૉલેજો - ૬૦
  • પોલિટેક્નિક કૉલેજ - ૧

ઉપરાંત પી.ટી.સી., ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિકલ, બી.એડ. કૉલેજ પણ આવેલી છે.

શાસકીય

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ ૭ નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ ૫ વિધાનસભા મત વિસ્તાર આવેલ છે અને એક લોકસભા મત વિસ્તાર છે.

તાલુકાઓ

સાહિત્યકારો

કવિ દલપતરામ, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ પંચોળી, કુમારપાળ દેસાઈ, કુન્દનિકા કાપડિયા, જયંત કોઠારી, લાભશંકર ઠાકર, ભાનુભાઈ શુક્લ, મીનપિયાસી, પ્રજારામ રાવળ, લાભશંકર રાવળ "શાયર", અમૃત ત્રિવેદી "રફિક", દિલીપ રાણપુરા, દેવશંકર મહેતા, રમેશ આચાર્ય, એસ.એસ.રાહી, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, બકુલ દવે, ગિરીશ ભટ્ટ વગેરે ખ્યાતનામ સાહિત્યકારો સુરેન્દ્રનગર સાથે જોડાયેલાં છે

લોક કલાકારો

બાબુભાઈ રાણપુરા, બચુભાઈ ગઢવી,વશરામભાઈ પરમાર, શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઢવી, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, મનુભાઈ ગઢવી, હેમુ ગઢવી, પુંજલભાઈ રબારી, સુરેશ રાવળ, ભીખાલાલ મોજીદડવાળા, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ,વાઘજી રબારી વગેરે સુરેન્દ્રનગરના લોક-સાહિત્યકાર છે.

અન્ય

વાઇલ્ડ-લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા, દેહરાદુન ખાતેના પ્રાધ્યાપક યાદવેંદ્રદેવ વી. ઝાલા અને અભિનેત્રી ડીમ્પલ કાપડીયા, ગાયક કલાકારો પંકજ ઉધાસ અને મનહર ઉધાસ, સંજય ગઢવી વગેરે સુરેન્દ્રનગર સાથે સંબંધીત વ્યક્તિઓ છે. તસવીરકાર ઝવેરીલાલ મહેતા પણ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની છે. ઉ૫રાંત ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો. સામ પિત્રોડા હળવદના ટિકર ગામના વતની છે.

ઝાલાવાડ

સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે.

જોવાલાયક સ્થળો

તિર્થ ધામ

  • ભગવાન સ્વામિનારાયણનું બહુચરેશ્વર મંદિર
  • મહાવીર સ્વામીના પગલા, વઢવાણ
  • સ્વામિનારાયણ મંદિર, વઢવાણ
  • બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર, જંકશન રોડ, સુરેન્દ્રનગર
  • રાણકદેવીનું મંદિર, વઢવાણ
  • હવા મહેલ, વઢવાણ
  • ચામુંડા માતાનું મંદિર, ચોટીલા
  • ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, તરણેતર
  • મેલડી માતાનું મંદિર, સરા
  • જૈનતિર્થ, ડોળીયા અને શીયાણી
  • સામુદ્રી માતાનું મંદિર, સુંદર ભવાની
  • લાલજી મહારાજની જગ્યા, સાયલા
  • માંડવરાયજી મંદિર, મુળી
  • સ્વામિનારાયણ મંદિર, મુળી
  • રાજરાજેશ્વરી માતાનું મંદિર, ઝીંઝુવાડા
  • ધામા (શાક્તિ માતાજી પ્રાચિન મંદિર)
  • દુધરેજ (શ્રી વડવાળા દેવ)
  • સાપકડા (બુટભવાની મંદિર)
  • સ્વામિનારાયણ મંદિર ચરાડવા
  • બ્રાહ્મણી બંધ મેરુપર
  • વણા (શાક્તિ માતાજી પ્રાચિન મંદિર)
  • નથુરામ શર્માનો આશ્રમ, મોજીદડ
  • ગુરુકુળ, ધ્રાંગધ્રા
  • જોગાસર, ધ્રાંગધ્રા
  • ગણપતિ ફાટસર, વઢવાણ
  • રામદેવપીર મદિર, પીપલી
  • મંગળ ભારતી ચેતન સમાધી (હડાળા ભાલ)
  • વીર ડોહા બાપા ગાયોની રક્ષા કાજે શહીદ (હડાળા ભાલ)
  • નગટીવાવ મેલડીમાં નું મંદીર, વઢવાણ
  • જળીયા મહાદેવ મંદીર, ચોટીલા
  • દેશળ ભગત ની જગ્યા ધ્રાંગધ્રા.
  • નાગાબાવાની જગ્યા ધ્રાંગધ્રા.
  • લાખા ગોરલ(સોન)ના પાળીયા દેહગામ (પિપરી)
  • વિર વચ્છરાજ બેટ (વાછરા ડાડા મંદિર) ધ્રાંગધ્રા રણ મધ્ય.

પર્યટન સ્થળો

લોક મેળાઓ

  • તરણેતરનો મેળો
  • લીંખડીનો મેળો
  • અષાઢી બીજનો મેળો
  • વિસત માતાનો દિવાસાનો મેળો, આદરીયાણા
  • ચરમારિયા દાદાનો મેળો, સુન્દરગઢ (સુર્યાનગર)
  • દેરિયાળિ મેળો, રણિજતગઢ
  • નારીચાણા મેળો, નારીચાણા
  • એકદંતા ગણપતિનો મેળો, ભાદરવા સુદ ૪, ધ્રાંગધ્રા-જોગાસર તળાવ.[]

સંદર્ભ

  1. "Basic Data Sheet: District Surendranagar (08), Gujarat (24)" (PDF). Census of India. ૨૦૦૧.
  2. "સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીનો મેળો". ૧૫ મે ૨૦૧૬. મેળવેલ ૫ સપ્ટેમ્બર ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ