સોમનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઢાંચો બદલ્યો. અ.રે. દૂર કરેલ ચિત્રનો ઉલ્લેખ દૂર કર્યો. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
નાનું →પુન:નિર્માણ: લાંબા સમયથી અસંદર્ભ (અને ખોટું) રહેલું લખાણ હટાવ્યું. |
||
લીટી ૩૬: | લીટી ૩૬: | ||
== પુન:નિર્માણ == |
== પુન:નિર્માણ == |
||
[[ભારત]]ના લોખંડી પુરૂષ તથા પહેલા [[નાયબ વડાપ્રધાન]] [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. |
[[ભારત]]ના લોખંડી પુરૂષ તથા પહેલા [[નાયબ વડાપ્રધાન]] [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના [[ભારતના રાષ્ટ્રપતિ]] ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે [[ભારત]]ના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. [[રાજેન્દ્ર પ્રસાદ|રાજેન્દ્ર પ્રસાદે]] જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".{{સંદર્ભ}} શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી [[કેશુભાઈ પટેલ]] છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં. |
||
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.{{સંદર્ભ}} સાગર કિનારે આવેલા [[સંસ્કૃત]]માં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. |
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.{{સંદર્ભ}} સાગર કિનારે આવેલા [[સંસ્કૃત]]માં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. |
૨૦:૧૮, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
સોમનાથ મંદિર | |
---|---|
સોમનાથ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ગીર સોમનાથ |
સંચાલન સમિતિ | શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 20°53′16.9″N 70°24′5.0″E / 20.888028°N 70.401389°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | હિંદુ |
નિર્માણકાર | સરદાર વલ્લભભાઈ પટેલ |
વેબસાઈટ | |
somnath.org |
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.[૧] સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
ઇતિહાસ
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.[૨] ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.[૩] ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.[૪][૫]
પુન:નિર્માણ
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".[સંદર્ભ આપો] શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.[સંદર્ભ આપો] સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
ચિત્રો
-
સોમનાથ મંદિર, ૧૮૬૯ -
સોમનાથ મંદિર, ૧૯૫૭ -
સોમનાથ મંદિર, ૨૦૧૨ -
દરિયા કિનારેથી દેખાતું સવારે દેખાતું સોમનાથનું મંદિર -
બનસ્થંભ
સંદર્ભ
- ↑ "Jay Somnath". Official website of Somnath Temple. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ Melton, J. Gordon (૨૦૧૪). Faiths Across Time: 5,000 Years of Religious History. ABC-CLIO. પૃષ્ઠ 516, 547, 587. ISBN 1610690265.
- ↑ Yagnik & Sheth ૨૦૦૫, p. ૪૭.
- ↑ Satish Chandra, Medieval India: From Sultanat to the Mughals, (Har-Anand, 2009), 278.
- ↑ Yagnik & Sheth ૨૦૦૫, p. ૫૫.
- Yagnik, Achyut; Sheth, Suchitra (૨૦૦૫), The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond, Penguin Books India, http://books.google.com/books?id=wmKIiAPgnF0C&pg=PA39
બાહ્ય કડીઓ
- શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનું અધિકૃત વેબસાઇટ
- શ્રી સોમનાથ મહાદેવ મંદિર વિશે માહિતી : હિંદી ભાષામાં
- તીર્થ પરિચય - સોમનાથ મંદિર (તીર્થયાત્રા મહાસંઘ)
- સોમનાથ (ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ)