[go: nahoru, domu]

લખાણ પર જાઓ

કાઠિયાવાડી ઘોડા

વિકિપીડિયામાંથી

કાઠિયાવાડી ઘોડાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કાઠિયાવાડ પ્રદેશના જાણીતા અશ્વની એક પ્રજાતિ છે. હાલમાં કાઠિયાવાડી ઘોડા વિશ્વ વિખ્યાત બન્યા છે. કાઠિયાવાડમાં વસતા કાઠી લોકોનો મુખ્ય શોખ ઘોડેસવારી રહ્યો છે, જે આજના વિજ્ઞાન યુગમાં પણ જળવાઇ રહ્યો છે. કાઠી દરબાર કોમ કાઠિયાવાડી ઘોડા વિશે સારી એવી માહિતી પણ ધરાવે છે.

કાઠિયાવાડી ઘોડો

કાઠી ઘોડા ની ઉત્પત્તી

દુનીયામાં 300-350 જાતના અશ્વ જોવા માળે છે. તેમા આરબી અશ્વ, થ્રુબ્રીડ અશ્વ, જેવી જાત વીશ્વ વીખ્યાત છે. પણ 300-350 જાતને ટક્કર આપે એ છે કાઠી અશ્વ, એક શુદ્ધ, જાતવાન અશ્વજાતી. વીશ્વ વીખ્યત આરબી ઘોડા ને ટક્કર આપી શકે તો એ છે કાઠીયાવાડ પ્રદેશ ના કાઠી અશ્વો. કાઠી અશ્વની ઉત્પતી હજી સુધી એક રહસ્ય છે. લોક માન્યતા મુજબ એક કાઠી દરબારની વછેરી અને દરયાપીરના ઘોડા માંથી કાઠી અશ્વની ઉત્પતી થઇ, બીજી એવી પણ માન્યતા છે કે કાઠી દરબારના કપરા કાળ મા જ્યારે અવારનવાર ના યુધ્ધો થી અસ્તીત્વ નો જ પ્રશ્ન આવિ ગયો હતો, ત્યારે ભગવાન સુર્યદેવ તેમની પ્રત્યક્ષ સહાય કરી કાઠી ક્ષત્રીયો ને આ અશ્વો પ્રસાદી રૂપે આપેલા . કાઠી અશ્વમાં જોવા મળતા જીબ્રા ના પટ્ટા(zebra marking) એ સાબીત કરે છે કાઠી અશ્વો એક પ્રાચીન જાત છે. "ફારસનામા એ રંગીન" નામના ગ્રંથ મા કીધુ છે કે ભીરમથાલી અને કાઠીયાવાડી સીવાઇના ઘોડા તો ગધા બરાબર છે. Bombay gazetteer અને બીજા અગ્રેજ દસ્તાવેજ પ્રમાણે એક આરબી ઘોડા થી ભરેલુ વાહાણ ગુજરાતના દરયાકાઠે ડુબી ગયુ હતુ, તે આરબી અશ્વો સાથે કાઠી ક્ષત્રીયો એ પોતાની ઘોડીયું બતાવી એટલે તેમાથી કાઠી અશ્વો ની ઉત્તપત્તી થઇ. પણ આ વાત માની સકાય તેમ નથી કે કાઠી ઘોડા ની ઉત્તપતી આરબી ઘોડામાંથી થઇ, કારણ કે Friends of Marwadi and kathiyawadi society દ્વારા કરેલ એક વેજ્ઞાનીક સંસોધનમાં એવુ જાણવા મળે છે કે કાઠી ઘોડાના DNA આરબી ઘોડાના DNA કરતા ઘણા દુર છે અને સરખા નથી. જોકે મુઘલકાલમાં ભારતમાં આરબી ઘોડા લવાતા પણ કાઠી ઘોડા અને આરબી ઘોડાનુ લોહી કોઇદીવસ એક નથી થયુ, એનુ કારણ છે સીલેકટીવ બ્રીડીંગ (selective breeding). ખાસ કરીને કાઠી ક્ષત્રીયોએ પોતાના ઘોડા કોઇ દીવસ અશુદ્ધતા આવા નથી દીધી. આર. ડી . જાલા પ્રમાણે કાઠી દરબાર પોતાના ઘોડાની શુદ્ધતા અને વીકાસ માટે એટલા જાગૃત હતા કે તેમને કાઠી અશ્વો ની 24 પેટા શાખા વીક્સાવી, આરબી અશ્વ જે દુનીયામા પ્રાચીન અને શુદ્ધ જાત માનવામાં આવે છે તેમા પણ ખાલી 2 પેટા શાખા છે.આ સાબીત કરે છે કે કાઠી દરબાર પોતાના અશ્વની શુદ્ધતા અને વીકાશ માટે કેટલા જાગૃત હતા. આજે આ અશ્વો ના જતન અને સરંક્ષણ એ નૈતીક ફરજ છે.[][][]

યુદ્ધ તાલીમ

5000વર્ષથી અશ્વનો ઉપીયોગ યુદ્ધ માટે થાય છે.યુરેશીયા માં 4000 ઇ.શા. પુર્વમાં અશ્વનો ઉપીયોગ યુદ્ધ માટે થાતો.પ્રાચીન સમયમાં કાઠીયાવાડી અશ્વનો ઉપીયોગ કાઠી ક્ષત્રીયો યુદ્ધ માટે કરતા.[] યુદ્ધમાટે અશ્વને ખાસ તાલીમ આપવામા આવતી. અશ્વ ની કનોટી (કાન) પાસે કાઠો ક્ષત્રીયો એક ટુંકીવાઘ (લગામ) રાખતા જેને “શંખવાઘ” કેવાય. આ વાઘ નો ઉપીયોગ ભાગ્યે જ કરતા. જ્યારે દુશ્મન આગળ ભાગતો હોય પોતાના અશ્વ સાથે ત્યારે તેનો ભેટો કરવા માટે આ શંખવાઘ નો ઉપીયોગ થતો. શંખવાઘ પકડીએ એટલે સવારને અશ્વની ડોક સાથે થય જવુ પડે જેથી અશ્વ ને વેગ પકડવામાં અનુકુળતા રહે. આ શંખવાઘ ના ઇશારાથી ઘોડી તોપ ના ગોળાની જેમ છુટે.કાઠીઓ લગામ ના ઇશારાથી ઘોડાને બે પગે જાડ(ઉભા થવુ) થવાની તાલીમ આપતા. લગામ ના ઇશારા થી ઘોડો બે પગે જાડ(ઉભા થવુ) થય ને પાંચસાત ડગલા આગળ ચાલે જાણે હાથી ના કુંભથળ ઉપર ડાબા માંડવા હોય તેમ બે પગે જાડ થાય. આ તાલીમ કારેણે માહારાણા પ્રતાપના ચેતકે હાથીના કુંભાથળ ઉપર ડાબા માંડયા હતા, અને આજ તાલીમ ના કારણે કાઠી હાદા ખુમાણના બાવળાએ વજેસીંહજીના હાથી ના કુંભથળ ઉપર ડાબા માંડયા હતા.[]પાછળ દુશ્મન આવતા હોય તેને સામે લેવા માટે લગામ નો ઇશારો કરે એટલે ઘોડી બે પગે જાડ થયને પાછલા એક પગે અડધું ચક્કર ફરે એટલે ઘોડી પાછળ આવતા દુશ્મન ની સામે થય જાય.વાંદરી જેમ ચારે પગે ઉછળતી ચાલે તેમજ ઘોડી ને ચારે પગે કુદાવતી ચલાવી હોય તો ઘોડીની બન્ને વાઘ પકડી ને ઇશારો કરતાં ઘોડી ચારે પગે કુદતા વાંદરાની જેમ કુદતી કુદતી ઠેકડા મારે આને “લંગુરી” લેવડાવી કહેવાય.[]લગામ ખેચતા અને પછી લગામ પોચી મુકીને એડી મારતા ઘોડી બે પગે જાડ થાય અને જાણે પાંખ આવી હોઇ તેમ ઉછળે છે, આને “ઘોડી ની ઉડાન” કહેવાય.યુદ્ધમાં જ્યારે દુશ્મન તલવાર કે ભાલાનો ઘા કરે ત્યારે એ ઘા ચુકવવો હોય તો ઘોડી ના ગોઢણ ઉપર જરા એડી મારતા ઘોડી ગોઢણભેર થય જાય અને દુશ્મન ઘા ચુકી જાય. જ્યારે વજેસીંહજીએ હાથી ની અંબાડી ઉપરથી કાઠી દરબાર હાદા ખુમાણ ઉપર સાંગનો ઘા કરયો હતો ત્યારે હાદા ખુમાણે પોતાના બાવળા ના આગલા પગે ભાલા ની બુટીથી ઇશારો કર્યો ત્યારે બાવળો ઘોડો ગોઢણભેર થઇ ગયો અને વજેસીંહનુ નીશાન ખાલી ગયું અને સાંગ જમીન માં ખુંપી ગઇ.પાછળ.[]આવતા અસવારને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી ના પેટમાં બે ય પગની એડી અડાડતાં ઘોડી પાછલા પગે કુદીને પુરા જોરથી આવતા અસવાર ને જુડ(પાટુ) મારે છે. આને “ટીટોડ” કહેવાય. ટીટોડ વખતે મોળા અસવાર પડી પણ જાય.[][][]

સંદર્ભો

  1. ગુજરાત ના કાઠીયાવાડી અશ્વો
  2. Bombay gazetteer , kathiyawad 1880
  3. Faras nama e rangin
  4. OUTLAWS OF KATHIAWAR. chapter.6, p.55-61.{{ISBN|9781314298505}}
  5. ૫.૦ ૫.૧ ભલ ઘોડા વલ વંકડા.;-જયમલ્લ પરમાર.લેખક:- સુરગભાઇ વરૂ. પાનાનં: 29-34
  6. ૬.૦ ૬.૧ ગુજરાતના કાઠીયાવાડી અશ્વ, લેખક: ડૉ.પ્રફુલ્લબેન રાવલ. પાનાનં; 149-161.{{ISBN|978-93-5108-450-1}}
  7. ભલ ઘોડા વલ વંકડા.;-જયમલ્લ પરમાર.લેખક:- સુરગભાઇ વરૂ. પાનાનં: 78-81
  8. https://www.facebook.com/kathiyawadihorse/posts/584171775088868:0