વાઘલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર ચિખલી અને વાપી વચ્ચે તેમ જ ચિખલીથી દક્ષિણ દિશા તરફ આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. વાઘલધરા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
આ ઉપરાંત અંહી જૈનોના ટ્રસ્ટ દ્વારા કેન્સરના રોગની પંચગવ્ય આયુર્વેદ આધારીત ચિકિત્સા આપતું સારવાર આપતું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ૮૦ દર્દીઓને દાખલ કરી શકાય છે તેમ જ બાકીના દર્દીઓને દવા આપી ઘરે સારવાર લેવાનું સમજાવાય છે. આ પંચગવ્ય (ગાયનાં છાણ, મૂત્ર, દુધ, દહીં અને ઘી. આ પાંચ વસ્તુઓ વડે અપાતી સારવારને પંચગવ્ય ચિકિત્સા કહેવાય છે, જે સંપૂર્ણપણે આયુર્વેદ આધારીત હોય છે.) સારવાર દર્દીને અંહી માત્ર ૧ રૂપિયામાં મળે છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.